કાંતીપુર ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપી રૂ 31850નો ફાળો અપાયો

- text


મોરબી : આંતકી હુમલાથી સમગ્ર દેશવાસીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહયો છે અને સમગ્ર દેશવાસીઓ ભારે દેશદાઝ સાથે ભારતમાતાના વીર સપૂતોની વીરગતિને કોટીકોટી વંદન કરી રહ્યા છે.ત્યારે મોરબીના કાંતિપુર ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપવા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દરેક ગામજનોએ જોડાઈને ભારે હૈયે શહીદ જવાનોની વીરગતિને નમન કરીને શ્રધ્ધાસુમન અપર્ણ કર્યા હતા.ત્યારબાદ શહીદોના પરિવારોને મદદરૂપ થવા ફાળો એકઠો કરવામાં આવ્યો હતો.જેમાં માત્ર 300ની વસ્તી ધરાવતા આ ગામમાંથી શહીદો માટે રૂ.31850નો ફાળો એકઠો થયો હતો.

- text