મોરબી: દેરાસરમાં મહાવીર સ્વામી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

- text


મહાવીર સ્વામીના જિનાલય પ્રવેશ નિમિતે હાથીની અંબાડી પર ચાંદીના રથ-બગી સાથે શોભાયાત્રા યોજાઈ

મોરબી : મોરબીના જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મોલ્લાસભેર ઉજવાયો હતો.મહાવીર સ્વામીના જિનાલય પ્રવેશ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ , દરબારગઢ મોરબી દ્વારા વર્ધમાન નગર સોસાયટી દેરાસરમાં તીર્થંકર મહાવીર સ્વામી દાદાની પ્રાણપ્રતિષ્ઠાના ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાવીર સ્વામીના જિનાલય પ્રવેશ પ્રસંગે આજે સવારે દરબારગઢ દેરાસરેથી હાથીની અંબાડી પર, ચાંદીના રથ-બગી સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા આ પ્રસંગે આચાર્ય ભગવંત યશોવિજયજીની તથા સાધ્વીજી વિનયરત્નાશ્રીની નિશ્રામાં સમગ્ર જૈન તપગચ્છ સંઘ ભક્તિના રંગે રંગે રગાયું હતું.મહાવીર સ્વામીના જીનાલયમાં પ્રવેશ નિમિતે લાભાર્થી સ્વ. શાંતિલાલ મગનલાલ કોઠારી અને જશવંતીબેન શાંતિલાલ કોઠારી અને કોઠારી પરિવાર તેમજ દેવાધિદેવના પ્રતિષ્ઠાના લાભાર્થી માનકુંવરબેન ખેતશીભાઈ પારેખ અને કિશોરભાઈ ખેતશીભાઈ પારેખ તેમજ પારેખ પરિવાર તરફથી બદરેશ્વર ૭૨ જિનાલય વાળા સંગીતકારનો કાર્યક્રમ દશાશ્રીમાળીની વાડી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જૈન તપગચ્છ સંઘ, દરબારગઢ. ધર્મનાથ જૈન મિત્રમંડળના સભ્યો તથા કાર્યકરો, પ્રમુખ તેમજ ટ્રસ્ટીગણ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text