- text
વાંકાનેર : વાંકાનેરના ભોજપરા ગામે રહેતા યુવાન પર બે શખ્સોએ પાણાવારી કરીને ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા શૈલેષભાઇ વાલજીભાઈ વિજવાડીયા ઉ.વ. ૨૫ના ઘરના નળમા પાણી આવતું ન હોવાથી તેઓએ યુનુસભાઈ હસનભાઈ શેરસિયા તથા મુસ્તુફા આદમ કડીવારને આ અંગે કહ્યું હતું. જેથી આ બન્ને શખ્સોએ ઉશ્કેરાઈ જઈને યુવાન પર પથ્થરમારો કરીને ઇજાઓ પહોંચાડી હતી.
- text
બનાવ મામલે યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- text