મોરબી : ધંધો કરવા જવાનું કહી મુંબઈ ગયેલો યુવાન ગુમ

- text


મોરબી : મોરબીની નાની બજાર શેરીમાં રહેતા યુવાન મુંબઈ ધંધો કરવા જાવ છું તેમ કહીને ઘરેથી નીકળી ગયા બાદ લાપતા બની જતા તેના પિતાએ મોરબી એ ડિવિઝનમાં પુત્રની ગુમસુદા નોંધાવી છે.

મોરબીની નાની બજારમાં આવેલી મુલ્લા શેરીમાં રહેતા હુશેનભાઈ સેફુદીનભાઈ લોખડવાલાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોતાના પુત્રની ગુમસુદા નોંધ કરાવી હતી કે ગતતા.10ના રોજ તેમના પુત્ર મુરતુઝાભા હુશેનભાઈ લોખંડવાલા ઉ વ 21 એ તેંમની ફોન પર કહ્યું હતું કે તે મુંબઈ ધંધા માટે જાય છે તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો.ત્યારબાદ તેનો ફોન સ્વીચઓફ આવતા તેમણે પુત્રની શોધખોળ કરી હતી.પરંતુ આજદિન સુધી પુત્રનો પતો ન લાગતા અંતે આજે તેમણે પોતાનો પુત્ર ગુમ થયાની પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. પોલીસે ગુમ થનાર યુવાન શોધખોળ હાથ ધરી છે.

- text

- text