રાષ્ટ્રીય મુદ્રા પરિષદના મોરબીના સંયોજક અને સહસંયોજકની નિમણૂક

- text


યુવા વકીલ મિતેષ દવેની સંયોજક તેમજ ઉદ્યોગપતિ રૂપેશ રાણપરાની સહસંયોજક પદે નિયુક્તિ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ

મોરબી : રાષ્ટ્રીય મુદ્રા પરિષદના મોરબીના સંયોજક તરીકે યુવા વકીલ મિતેષભાઈ દવે અને સહસંયોજક તરીકે રૂપેશભાઈ રાણપરાની વરણી કરવામાં આવી છે. મોરબીના આ બન્ને યુવાનો ભારતીય ચલણનો સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોવાથી તેઓની રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં રાષ્ટ્રીય મુદ્રા પરિષદની રાષ્ટ્રીય કાર્યકારીણી ઇન્દોર ખાતે યોજાઇ હતી. જેમાં પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગિરીશ શર્મા દ્વારા મોરબીના રાષ્ટ્રીય મુદ્રા પરિષદના સંયોજક તરીકે યુવા વકીલ મિતેષભાઈ દવે અને સહસંયોજક તરીકે રૂપેશભાઈ રાણપરાની વરણીની જાહેરાત કરવામાં આવી હતી.

- text

રાષ્ટ્રીય મુદ્રા પરિષદનો મુખ્ય ધ્યેય સમાજમાં સિક્કા, નોટનું જે નકલી ચલણ ફરે છે. તેને રોકીને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો છે. મોરબીના સંયોજક તરીકે નવનિયુક્ત મિતેષ દવે યુવા વકીલ છે. જ્યારે સહસંયોજક તરીકે નવનિયુક્ત રૂપેશ રાણપરા યુવા ઉદ્યોગપતિ છે.

- text