વાંકાનેર પીઆઇ વિરુદ્ધ ચાલતું આંદોલન સમાપ્ત

- text


સરકારે યોગ્ય ઉકેલની ખાતરી આપતા જીતુભાઇ સોમાણી સાંજે સંતો – મહંતોના હસ્તે પારણાં કરશે

મોરબી : નવરાત્રીનો ફાળો ઉઘરાવતા સ્વયં સેવકો સાથે અભદ્ર વર્તન કરનાર વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ચાલતા આંદોલનમાં સરકારે યોગ્ય ઉકેલની ખાતરી આપતા આજે સાંજે સંતો મહંતોના હસ્તે પારણાં કરી પૂર્વ નગરપતિ જીતુભાઇ ઉપવાસ આંદોલન સમાપ્ત કરશે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર પી.આઈ બી.ટી વાઢીયાએ સ્વયંસેવકો સાથે કરેલ અભદ્ર વર્તન મામલે પૂર્વ નગરપતિ જીતુ સોમાણી દ્વારા સાત દિવસથી અનશન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતે સરકારે યોગ્ય ઉકેલની ખાતરી આપતાં આજે તા.૫ ના રોજ સાંજે ૬ વાગ્યે વાંકાનેરના સંતો-મહંતોના હાથે જીતુભાઇ સોમાણીને પારણાં કરવામાં આવશે.

- text