માળીયામાં ઉભા મોલમાં ભેંસ ચરાવી વાડી માલિકને માર માર્યો : ફરિયાદ

- text


માળીયા : માળીયા મિયાણાના ઝખરીયા વાંઢમાં વાડીમાં ભેંસ ચરાવી જુવારના પાકને નુકશાન કરવા મામલે સમજાવવા ગયેલા વાડી માલિકને માર પડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ તૈયબભાઇ વલીમહમદ કટીયા, ઉ વ-૩૫, ધંધો-ખેતી તથા મજુરી, રહે.ઝખરીયા વાંઢ વાળાની વાડી માં ભેંસ ચરાવી નુકશાન થતા તેમને ભેંસ માલિકને આ બાબતની જાણ કરતા (૧) ઇકબાલ અલીયાસ ભટ્ટી (૨) અલીયાસ અલ્લારખા ભટ્ટી તથા (૩) તૈયબ અલીયાસ ભટ્ટી રહે.તમામ માળીયા વાળાએ ફરિયાદીને માર મારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text