ટંકારાના મોટા ખીજડિયામાં ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયું

- text


ટંકારા : ટંકારાના મોટા ખિજડીયા ગામે શક્તિમાતાજીનાં મંદિરના પટાંગણમાં ટંકારા તાલુકા ક્ષત્રિય(રાજપુત) સમાજ દ્વારા સ્નેહ મીલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્નેહ મિલનમાં ટંકારા તાલુકાના નવ નિયુક્ત પ્રમુખ પ્રદયુમનસિંહ કિરતસિંહ જાડેજા-વિરપર મચ્છુ અને ઉપ પ્રમુખ જયુભા બી ઝાલા- નેકનામના પ્રયત્નોથી ખૂબજ મોટી સંખ્યામાં પડધરી, ટંકારા, વાંકાનેર, માળીયા અને હળવદ તાલુકાઓમાંથી રાજપુત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમના સમાપન પછી સ્થળ પર જ સમારંભ યોજાયો હતો.દરેક તાલુકાના પ્રમુખે પોતાના વિસ્તારમાં થતી સામાજીક પ્રવૃત્તિઓની રજૂઆત કરી હતી.મોરબી જિલ્લાના તાલુકાઓ માથી જેતે તાલુકાના સમાજ પ્રમુખો અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘનાં પ્રમુખો, કરણી સેનાના પ્રમુખો એમ સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

- text