- text
ફાયર બ્રિગેડ, પોલીસ અને મામલતદાર દ્વારા સતત શોધખોળના પ્રયાસ
હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની પરિણીતાએ સોમવારે હળવદના રણમલપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવનનો અંત લાવ્યા બાદ આ પરણીતાંનો મૃતદેહ ૪૮ કલાકની શોધખોળ છતાં હજુ સુધી મળ્યો ન હોવાનું બહાર આવ્યું છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામની હેતલબેન કોળી ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સાસરીયે હોય સોમવારે કોઈ અગમણ્ય કારણોસર ઘરેથી નીકળી જઈ હળવદના રણમલપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.
- text
બનાવની જાણ આજુબાજુના લોકોને થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ આદરાઈ હતી પરંતુ લાશનો કોઈ પતો ન મળતા બનાવની જાણ હળવદ પોલીસ અને મામલતદારને કરાઈ હતી ઉપરાંત મોરબીથી ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવાઈ હતી પરંતુ ઘટનાને ૪૮ કલાક વીતવા છતાં પણ લાશનો કોઈ પતો નહીં મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
જયારે બીજી તરફ તરવૈયાઓની ટીમ પણ લાશનો પતો મેળવવામાં અસફળ રહેતા આજે ટિકરના જાણકાર તરવૈયાઓની ટીમને ઘટના સ્થળ આસપાસ લાશ શોધવા માટે બોલાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
- text