વાંકાનેર : ભાટીયા સોસાયટીની મહિલાઓ પીવાના પાણીના પ્રશ્ને રણચંડી બની

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં આવેલ ભાટીયા સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી આવતું ન હોય આ બાબતે અવારનવાર સરપંચ અને તલાટી મંત્રી નું ધ્યાન દોરવા છતાં કોઇ અસરકારક પગલાં લેવામાં આવતા ન હોય આજે સોસાયટીની મહિલાઓ નાછૂટકે રણચંડી બની તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી પરંતુ ત્યાં પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોય મહિલાઓને રજુઆત કોને કરવી એ બાબતે વિસામણમાં મુકાઈ હતી.

- text

મહિલાઓ દ્વારા તલાટી મંત્રી, ટીડીઓ અને ડીડીઓની ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એક પણ અધિકારી દ્વારા મહિલાનો ફોન પણ ઉપાડવાની તસ્દી લીધી ન હતી અને ફોનની ઘંટડીઓ વાગતી રહિ. આ અગાઉ પણ આ સોસાયટીની મહિલાઓ દ્વારા પીવાના પાણીના પ્રશ્ને ટીડિઓ ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ જાડી ચામડીઓ વાળા બાબુઓને પ્રજાના કામો માં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

- text