મોરબીમાં વીજપોલ પાસે શોક લાગતા બે આખલાના મોત

- text


પીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરીનું સુરસુરીયું : અનેક જગ્યાએ ટીસીની ફ્યુઝ પેટી પણ ખુલ્લી

મોરબી : મોરબીના શનાળા રોડ પર વિજપોલમાંથી શોક લાગતા બે આખલાના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાથી જીવદયાપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત અનેક જગ્યાએ ટીસીની ફ્યુઝ પેટી ખુલ્લી હોવાના કારણે માનવ જીવન પર પણ જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર શિવમ સોસાયટી નજીકના ટીસીના વિજપોલમાં ક્ષતિના કારણે વીજ પ્રવાહ વહેતો હતો તે દરમિયાન બે આખલા આ પોલને અડકી જતા તેઓનું વિજશોકથી મોત નીપજ્યું હતું. પીજીવીસીએલની બેદરકારીના લીધે બે નિર્દોષ પશુઓના જીવનો ભોગ લેવાતા જીવદયાપ્રેમીઓ ઉકળી ઉઠ્યા છે.

- text

પીજીવીસીએલ દ્વારા અગાઉ પ્રિ મોન્સૂન કામગીરીની ગુલબાંગો ફેંકવામાં આવતી હતી. ત્યારે આ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ માત્ર નજીવા વરસાદે જ ખુલી ગઈ છે. માત્ર થોડા જ વરસાદમાં બે પશુઓના જીવ પણ ગયા અને કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.

- text