- text
મોરબી : મોરબીમાં રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોના સન્માન સમારોહનું આગામી તા.૨૪ જુનના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
- text
રામાનંદી સાધુ સમાજના ધો.૧થી ૯ના જે વિદ્યાર્થીઓએ ૮૦ ટકા અને ધો. ૧૦માં ૭૦ ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે તા.૧૫ જૂન સુધીમાં જમા કરાવવાની રહેશે. ઉપરાંત જે સિનિયર સીટીઝન ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા હોય તેઓએ આધારકાર્ડ કે જન્મનો દાખલો જમા કરાવવાનો રહેશે.
- text