મુખ્યમંત્રીના બન્દોબસ્તમાંથી પરત ફરતી વેળાએ અકસ્માતમાં વાંકાનેરના પોલીસ જવાનનું મૃત્યુ

- text


ગધેથડથી બાઇક લઈને આવી રહેલા પોલીસ કોન્સ્ટેબલના બાઇક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કર

મોરબી : ગધેથડ મુકામે મુખ્યમંત્રીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ જવાનને કાલાવડ તાલુકાના ડેરીવડાળા ગામ નજીક અકસ્માત નડતા આ ગંભીર અકસ્માતમાં પોલીસ જવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા મોરબી પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ થોરાળા ગામના વતની અને છેલ્લા દોઢ વર્ષથી મોરબી જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અને છ માસથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોલીસ  કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ જાડેજા જામનગરના ગધેથડ ગામે મુખ્યમંત્રીનો કાર્યક્રમમાં બંદોબસ્તમાં ફરજ પર ગયા હતા, આ કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરતા તે સમયે કાલાવાડ તાલુકાના ડેરીવડાળા ગામ પાસે તેમને અકસ્માત નડ્યો હતો જેમાં દેવેન્દ્રસીહનું બાઈક સ્કોર્પિયો કાર નંબર જી.જે ૩ સી.ઈ ૧૧ સાથે અથડતા તેમનું  ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો આગળનો ભાગ વળી ગયો હતો અને બાઈકનો બુકડો બોલી ગયો હતો.

અકસ્માત અંગે જાણ થતા જ કાલાવાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા જયરાજસિંહ રાઠોડ સહિતનો કાફલો ધટના સ્થળે પહોચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text