- text
પાલિકા દ્વારા કેનાલની જગ્યાએ પાઇપ લાઈન નાખવા મંજૂરી માંગવામાં આવી
મોરબી : મોરબીના સનાળા રોડથી નાની વાવડી સુધી આવેલ ખુલ્લી કેનાલને બદલે પાઇપ લાઈન નાખી રસ્તો બનાવવા માટે પાલિકા દ્વારા સિંચાઈ વિભાગની મંજૂરી માંગવામાં આવી છે.
મોરબી નગર પાલિકા દ્વારા સિંચાઈ વિભાગને લેખિત પત્ર પાઠવી હાલ સનાળા રોડ યદુનંદન સોસાયટીથી વાવડી રોડ સુધી મચ્છુ -૨ સિંચાઈ યોજનાની નાની કેનાલ પસાર થાય છે, આ કેનાલ રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી હોવા ઉપરાંત આ કેનાલ હાલમાં બંધ હોવાનું જણવાયું છે.
- text
વધુમાં આ કેનાલ રહેણાંક વિસ્તારમાંથી પસાર થવાની સાથે હાલમાં બંધ હોય એ કેનાલની જગ્યાએ પાઇપલાઇન નાખી રસ્તો બનાવવા માટે સિંચાઈ વિભાગને જરૂરી કાર્યવાહી કરી એનઓસી આપવા જણાવ્યું છે.
- text