દલિત પ્રૌઢના આત્મવિલોપન મામલે મોરબીમાં ચક્કાજામ

- text


નટરાજ ફાટક બાદ લાલપર હાઇવે ઉપર દલિત સમાજ દ્વારા ચક્કાજામ

મોરબી : પાટણમાં આત્મવિલોપનની ઘટનાના વિરોધમાં દલિત સમાજ દ્વારા બપોરે મોરબીના નટરાજ ફાટકે ચક્કાજામ કરાયા બાદ સાંજે લાલપર હાઇવે પર ચક્કાજામ સર્જી દેતા બંને તરફ વાહનોની કતારો જામી હતી જો કે ભારે સમજાવટને અંતે ટોળા વિખેરાયા હતા.

- text

પાટણમાં દલિત વૃદ્ધ દ્વારા આત્મવિલોપન કરવામાં આવતા આજે બપોરે મોરબીના દલિત સમાજ દ્વારા નટરાજ ફાટકે ચક્કાજામ કરી આક્રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમજાવટથી મામલો શાંત પડ્યા બાદ ફરી સાંજે ફરી લાલપર હાઇવે ઉપર દલિત સમાજના આગેવાનો દ્વારા ચક્કાજામ સર્જી દેવાયો હતો અને નેશનલ હાઈવેની બન્ને તરફ ટ્રાફિક જામને કારણે વાહનોના થપ્પા લાગી ગયા હતા.

જો કે બાદમાં એલસીબી, એસઓજી, અને તાલુકા પોલોસ સહિત જિલ્લાભરની પોલીસ ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત થઈ હતી.

- text