આવતીકાલે ટંકારામાં વિશ્વકર્મા જયંતિ નિમીતે શોભાયાત્રા યોજાશે

- text


ટંકારા : આવતીકાલે વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ટંકારા ખાતે સમસ્ત લુહાર અને સુતાર જ્ઞાતિ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

વિશ્વકર્મા જયંતિ મહોત્સવ પ્રસંગે ટંકારા સમસ્ત ગુર્જર સુતાર અને લુહાર સમાજ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી ચાલતી પરંપરા અનુસાર તા. ૨૯ ને સોમવારના રોજ સવારે ૮.૩૦ કલાકે લક્ષ્મીનારાયણ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે જે બાદમાં શહેરના મુખ્ય રાજમાર્ગ પર ફરશે.

કાર્યક્રમના અંતે માતાજીના મંદિર ખાતે જ્ઞાતિભોજનનું આયોજન કરાયું છે અને કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અમૃતલાલ કારેલીયા અને નવીનભાઈ બકરાણીયા, મંત્રી અશોકભાઈ ભલારા સહિતના સભ્યો અને જ્ઞાતિજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text

- text