મોરબીમાં સંત વિરદાસ બાપુની પુણ્યતિથિ નિમીતે વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


વરિયા મંદિર ખાતે બટુકભોજન, રક્તદાન કેમ્પ, યજ્ઞ સહિતના આયોજન

મોરબી : મોરબી વરિયા મંદિર ખાતે સંત વિરદાસ બાપુની ૧૩ મી પુણ્યતિથિ નિમીતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ઉપરાંત ૧૧ કુંડી વાતાવરણ સુધી યજ્ઞનું આયોજન કરાયું હતું.

સંત વિરદાસ બાપુની ૧૩ મી પુણ્યતિથી નિમિત્તે વરીયા મંદિર સો- ઓરડી મોરબી મુકામે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બટુક ભોજન, રક્તદાન કેમ્પ, ૧૧ કુંડી વાતાવરણ શુધ્ધિ યજ્ઞ, ધુન ભજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

- text

આ આયોજનમાં રક્તદાન કેમ્પમાં સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે ૭૮ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

વધુમા સંતવાણીના કાર્યક્રમમાં ઈશ્વરભાઈ ભલાણી અને લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાએ ભજનો અને લોકસાહિત્યની સરવાણી વહાવી હતી,આ તકે પ્રજાપતી સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો, સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રજાપતિ સમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text