- text
બાલદિને અનાથ અને વૃદ્ધાશ્રમના વડીલોને ફૂડપેક્ટ વિતરણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો
મોરબી : મોરબી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા બાલદિનની અનોખી ઉજવણી કરી અનાથ આશ્રમના બક્કો અને વૃદ્ધાશ્રમના વડીલો માટે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા બાલદિનની અનોખી ઉજવણી કરવા પોતાના પોકેટમનીની બચત કરી મીઠાઈ ખરીદવામાં આવી હતી અને મોરબીના અનાથ આશ્રમના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો માટે ફૂડપેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું.
- text
આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેનું સંચાલન સંસ્થાના જ્ઞાનજીવનદાસજી સ્વામીએ કર્યું હતું.
- text