મોરબીમાં મેટ્રો ગ્રુપ દ્વારા દિવંગત પરિવારજનોની સ્મૃતિમાં ૩ નવેમ્બરે મહારક્તદાન કેમ્પ

- text


મોરબી:મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પરિવારના બે દિવંગત સભ્યોની સ્મૃતિમાં આગામી તા.૩ નવેમ્બરના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના જાણીતા મેટ્રો સિરામિક ગ્રુપના આદ્રોજાના પરિવારને બે વર્ષ પૂર્વે હળવદ નજીક અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં તેમના પરિવારની બંસી આદ્રોજા અને હિરન ઘોડાસરાનું અવસાન થયું હતું આ બન્ને દિવંગતની સ્મૃતિમાં આગામી તા.૩ નવેમ્બરના રોજ બંસી પાર્ટી પ્લોટ, મેટ્રો રિસોર્ટ એન્ડ કલબ, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન પાછળ, જોધપર (નદી) ખાતે સવારે ૮ થી ૫ દરમિયાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અકસ્માત સમયે લોહીની જરૂરિયાત ઉભી થતી હોય આ ફોરેવર રક્તદાન કેમ્પ યોજી મેટ્રો ગ્રુપ દ્વારા સમાજને ઉપયોગી થવા નવો રાહ ચીંધવા છેલ્લા બે વર્ષથી આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે જેમાં હજારો રક્તદાતાઓ રક્તદાન કરનાર હોવાનું આયોજક મેટ્રો ગ્રુપ દ્વારા જણાવાયું હતું.

- text

- text