મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા જાજરમાન ગણેશોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ખાતે દર્પણ સોસાયટીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે.

- text

છેલ્લા આઠ વર્ષ થી મોરબીના રવાપર રોડ ખાતે આવેલી દર્પણ સોસાયટીના નાકે પટેલ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશોત્સવનો નવમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે,વિશાળ જગ્યામાં યોજાતા આ ગણેશોત્સવમાં બાળકો માટે સસલા, બતક સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે. તેમજ વિવિધ આકર્ષક ફ્લોટો ઉભા કરવામાં આવ્યા છે. અહીં દરોરજ હજારોની સંખ્યામાં ભકતજનો દર્શનાર્થે ઉમટી પડે છે. 2013માં મોરબીના આ ગણેશોત્સવને સંદેશ ન્યૂઝ દ્વારા નંબર વન સ્થાન મળ્યું હતું.
પટેલ ગ્રુપ આયોજિત ગણેશોત્સવમાં દરરોજ સાંજે ૭ થી રાત્રીના ૧૧ સુધી દર્શન ખુલ્લા રહેશે.

- text