રફાળેશ્વર નજીક ઇશ્કોન પ્લાઝમા તસ્કરો ત્રાટકયા:પાંચ દુકાનો તૂટી

- text


મોરબી:મોરબીના રાફાળેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ ઇશ્કોન પ્લાઝા નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ત્રાટકી તસ્કરોએ એક સાથે પાંચ દુકાનના તાળાં તોડતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના તસ્કરોએ રાફાળેશ્વર મંદિર રોડ પર આવેલ ઇશ્કોન કોમર્શિયલ કોમ્પ્લેક્સને નિશાન બનાવી પાંચ દુકાનના તાળા તોડ્યા હતા,જેમાં જયભારત હાર્ડવેરમાંથી રૂ.૧૦૦૦,બાપાસીતારામ નાસ્તા ભંડારમાંથી પરચુરણ,રામાનંદી પાનમાંથી ૧૩૦૦૦,ચાની હોટલમાંથી ૪૦૦૦ રોકડા તેમજ કોમ્પ્લેક્સના પહેલા મળે આવેલ સોનેજ સીરામીક નામની દુકાનના તાળા તોડ્યા હતા.
ઘટના અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text