વાંકાનેરના ભોજપરામાં છેતરપિંડીના ધંધા બંધ કરવાનું કહેતા હુમલો

- text


ભોજપરામાં વાદી વસાહતમાં બનેલી ઘટના

વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં ગઈકાલે છેતરપિંડીના ધંધા બંધ કરવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ વાદી સમાજના અગ્રણી પર સાત શખ્સોએ હુમલો કરતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરામાં આવેલ વાદીપરામાં કેટલાક લોકો છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળતા ગઈકાલે સમાજના અગ્રણી સેતાનનાથ બામ્ભણીયા સહિતના આગેવાનો બહારનાથ સુરમનાથ સહિતનાઓને આવા ધંધા નહીં કરવા સમજાવા ગયા હતા.
જેને પગલે આરોપી બહારનાથ સુરનાથ પરમાર,ગોબરનાથ સુરનાથ,મનનાથ સુરામનાથ ,મુનાનાથ ભોળાનાથ,ઝાલમનાથ સુરા નાથ,જલાનાથ ભોળાનાથ,અને તોફાનનાથ પોપટનાથ પરમાર સહિતના શખ્સોએ ઉશ્કેરાય જઈ વાદી સમાજના અગ્રણીઓના વાહન પર હુમલો કરી લાકડી,પાઇપ, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવા પામી છે. ઘટના અંગે તાલુકા પોલીસ મથકના પીઆઇ ચંદ્રાવડીયા તપાસ ચલાવી રહ્યા છે.

- text