મોરબીની સ્કૂલોમાં જ્ઞાન અને સંસ્કાર વર્ધક પુસ્તક મેળાનું આયોજન

- text


મોરબી:શાંતિકુંજ હરિદ્વાર અને યુગનિર્માણ યોજના મથુરાના માર્ગદર્શન તળે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા યુવા ક્રાંતિ વર્ષ અને વિચારક્રાંતિ અભિયાનની ઉજવણીના ભાગરૂપે રસ ધરાવતી સ્કૂલોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત લગભગ 500 જેટલા પુસ્તકોનુ પ્રદર્શન કમ વેચાણ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ પુસ્તકમેળામાં બાળકો માટે તેમને રસ પડે તેવા ખાસ પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે.કિફાયતી કિંમત ધરાવતા આ બધા પુસ્તકોમાં વિશેષ 25% વળતર ( ડિસ્કાઉન્ટ ) આપવામાં આવે છે. ઓમશાંતિ સ્કૂલ અને ન્યુ ઓમશાંતિ સ્કૂલ ( OSEM )માં આ અઠવાડિયામાં આયોજિત આ પુસ્તકમેલાને મળેલા સારા પ્રતિસાદ બાદ હવે નિર્મલસ્કૂલ અને તપોવનસ્કૂલમાં મેળો યોજાશે.
જેથી મોરબીની રસ ધરાવતી અન્ય સ્કૂલોને પણ આ જ્ઞાન સંસ્કાર વર્ધક પ્રવૃત્તિ માં જોડાવવા મણીભાઈ ગડારાનો સંપર્ક ( Mob – 9428277391 )કરવા અનુરોધ કરાયો છે.

- text