માળીયા (મી.) : ખાખરેચી પાસે ટ્રેનની હડફેટે બીએસએફ જવાનનું મૃત્યુ

- text


દેશની સરહદે ફરજ બજાવતા અને વીસ દિવસ અગાઉ લગ્ન થયેલા આશાસ્પદ જવાનની અણધારી વિદાયથી ઘર અને દેશને ફટકો

માળીયા મી. : ખાખરેચી પાસે ટ્રેનની હડફેટે આવતા જેતપર નજીકનાં શાપર ગામનાં બીએસએફ જવાનનું મૃત્યુ થતા પરિવાર-ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
ખાખરેચી રેલવે ફાટક પાસે મોડી રાત્રીનાં એક અજાણ્યા યુવાનનું ટ્રેનની હડફેટે આવતા ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. અ ઘટનાની જન થતા આજુબાજુનાં ગામલોકો ઘટનાસ્થળ પર દોડી જઈ યુવાનની ઓળખ મેળવતા યુવક જેતપર ગામનો હિતેશ રતિલાલ હમીરપરા ઉ.વર્ષ ૨૪ હોવાનું જાણવા મળ્યું હતું. તુરંત જ યુવકનાં પરિવાર અને પોલીસને જાણ કરાતા પોલીસે લાશને માળીયામી.ની રેફરલ હોસ્પીટલે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ મૃતક યુવાન કાશ્મીર બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં ફરજ બજાવતો હતો. આશાસ્પદ યુવાનનાં હજુ લગ્નને પણ વીસ દિવસ જ થયા હતા ત્યારે આ બનાવથી સમગ્ર પરિવાર અને ગામમાં ગમગીનીમાં ગરકાવ થઈ ગયું છે.

- text

- text