મોરબી : ડસ્ટબીન વિતરણનો કાર્યક્રમ યોજાયો

- text


સખીમંડળની બહેનોને 250 ડસ્ટબીનનું વિતરણ કરાયું

મોરબી : નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે પર્યાવરણ દિન નિમિતે ઘન કચરાના વર્ગીકરણનો એવન્યુ પાર્ક ખાતે ડસ્ટબીન વિતરણનો કાર્યક્રમ યોજયો હતો. જેમા 250 જેટલી ડસ્ટબીન મહિલા સખીમંડળ અને એવન્યુ પાર્ક વિસ્તારના લોકોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના નિયામક બારહ્ટ, એવન્યુ પાર્કના જેન્તિભાઇ દંગી , હર્ષદભાઇ ગામી, નગરપાલિકાના સદસ્ય કે.પી. ભાગિયા સહિતના લોકો હાજર રહ્યા હતા. અને આગામી ચાર મહિનાની અંદર 50,000 જેટલી ડસ્ટબીનનું મોરબીના લોકોને વિતરણ કરવામાં આવશે તેવો તંત્રએ દાવો કર્યો છે.

- text