મોરબી : પર્યાવરણના જતન માટે એક ક્રાંતિકારી અને સહિયારી ઝુંબેશની જરૂર

- text


મોરબી એટલે ઉદ્યોગનું પર્યાય. મોરબી એટલે ઈન્ડસ્ટ્રીયલ ઝોન. અને એક લોકો માટે મોરબી એટલે જોયા-જાણ્યા વિના પ્રદૂષણનું કેન્દ્ર. ત્યારે ઉદ્યોગ સહીત સમગ્ર મોરબીની પર્યાવરણનાં જતનની જવાબદારી વધી જાય છે. હાલ સિરામિક ઉદ્યોગ આ અંગે પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ મોરબીને હરિયાળું અને રણીયામણું બનાવા એક ક્રાંતિકારી અને સહિયારી ઝુંબેશની જરૂર છે. ત્યારે જો આજનાં દિવસની વાત કરીએ તો..

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થઈ પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ ભાગરૂપે મોરબીમાં સિરામિક ઉદ્યોગ એક એવી અર્થ વ્યવસ્થાનાં નિર્માણ માટે કટિબદ્ધ થવાની અને સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય તેવા નકર પ્રયાસોની તાતી જરૂરિયાત છે. જોકે મોરબી સિરામિક એસોશિયેશનની ટિમ આ બાબતે ગંભીરતાપૂર્વક કામે લાગી છે પરંતુ આ બાબતમાં હજુ ઘણું કરવાનું બાકી છે. અને એકલા સિરામિક ઉદ્યોગ નહિ પરંતુ મોરબીનો દરેક નાગરિક પર્યાવરણના જતન બાબતે આગળ આવે તે જરૂરી છે. આજે અમદાવાદ, અંકલેશ્વર, સુરત જેવા શહેરોમાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનનાં પ્રદૂષણથી અસહ્ય ગરમી અને દુષ્કાળ સાથે ખાનાખરાબી સર્જાય છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લાનું વાતાવરણ પણ શુદ્ધ રહે જળ અને વાયુયુક્ત સ્વચ્છ અને સુંદર રહે તે જોવાની જવાદારી તંત્ર, ઉદ્યોગકારો સાથે દરેક નાગરિકની છે. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું જોઈએ એ દરેક સિરામિક એકમે સમજી આજે મોરબી જિલ્લાને પ્રદૂષિત થતો અટકાવો અત્યંત જરૂરી છે. પ્રદૂષણની સમસ્યા માટે ”વધુ વૃક્ષો વાવો”ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે. ત્યારે સિરામિક ઉદ્યોગકારો અને મોરબીની તમામ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વધુ અસરકારક રીતે મોટા પ્રમાણમાં પર્યાવરણના જતન અને સર્વધનનાં પ્રયાસો હાથ ધરાઈ અને આપણે સૌએ પણ ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ સામે ”વિશ્વ પર્યાવરણ દિવસે” સંકલ્પ લઈએ કે, પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું. ત્યારે સાચા અર્થમાં પર્યાવરણ દિવસની ઉજવણી સાર્થક થશે.

- text

વિશ્વ પર્યાવરણ દિવસે સિરામિક એસોશિયેશનના પ્રમુખ નિલેશ જેતપરીયાનો સંદેશ
આજે ૫ જુન એટલે વિશ્વપર્યાવરણ દિન અને વિશ્વ આખુ તેની ઉજવણી કરતું રહે છે ત્યારે આપણા ભારત મા તો હજારો વર્ષોથી “વસુધૈવ કુટુંમ્બકમ” આ વિશ્વ એક કુટુંબ ની ભાવના સાથે પર્યાવરણ ના જતન માટે રૂષીપરંપરા રહેલી છે . પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રી એટલે કે પુજય દાદાએ છોડ મા રણછોડ ના વિચારોથી લાખો લોકો ના જીવનમાં એક ભાવ સાથે જોડી અને ભારતભરમા વૃક્ષમંદીર બનાવી અને સ્વાધ્યાય પરીવારના લોકો ને પ્રેરણા આપી અને લાખો સ્વાધ્યાય પરીવાર તેમાં પૂજારી તરીકે છોડમાં રણછોડ ના દર્શન કરવા જતા થયા.
આપણા શાસ્ત્ર માં નદી ને પણ માઁ ની ઉપમા આપેલ છે અને તેમની પુજા પણ હજારો વર્ષો થી કરતા રહેલા છીયે જેમાં ગંગા ,જમના, નર્મદા વગેરે અસંખ્ય નદીમાં સ્નાન નું પણ અદકેરૂ અને પવિત્ર મહત્વ રહેલું છે અને પૃથ્વી ને માઁ ધરતી નું બિરુદ આપી આપણે તેમની પણ પુજા કરતા રહેલા છીયે અને આવા સંસ્કારી વિચારોના આપણે વારસદાર છીયે ત્યારે અત્યારના વર્તમાન સમયમાં માનવી પોતાની સ્વાર્થવૃત્તિ ના કારણે વૃક્ષો નું ખંડન અને નદીનાળા મા રોજીંદો કચરો અને ઔધોગીક કચરા દ્વારા આપણા વૈદિક વારસાને ભુલી અને પોતાના સ્વાર્થ માટે વિશ્વ ને અધપતન તરફ લઈ જઇ રહ્યો છે ત્યારે આ બાબત મા સરકાર કે બીજા લોકો કશુ કરશે તેવા ભાવ ને બદલે આ ધરતી માનો હું સંતાન છું હું તેને કઇ રીતે ખરાબ કરી શકુ તેમજ નિર્મલ અને પવિત્ર નદીયો કે જેને પણ આપણે માઁ તરીકે પુજીયે છીયે તેને હું ઔઘોગીક કચરો નાંખી ને ખરાબ કઇ રીતે કરી શકુ અને વૃક્ષો કે જેમાં આપણે રણછોડ તરીકે પુજા કરીયે છીયે અને જન્મ થી લઇ અને અંતિમ મુકામ સુધી જેના વગર આપણું જીવન અસંભવ છે તેનો નાશ કઇ રીતે કરી શકીયે ત્યારે સમય છે આજના દિવસે સંકલ્પ લેવાનો કે આવું પાપ હું કરીશ તો નહી જ પરંતુ કોઇ ને કરવા પણ નહી દેવું તોજ આપણે આપણી આવકાર પેઢી ને વારસામાં જળ , જમીન , અને વૃક્ષો ત્રણેય ના જતન થકી જ પર્યાવરણ ને જાળવી શકીશુ નહીતર છતા પૈસે ઓકસીજન ના બાટલા વગર બહાર પણ નહી નીકળી શકીયે અને વિશ્વ પતન થી બચવા જો આપણે મા ધરતી , પવિત્ર નદીયો , અને છોડ ના રણછોડ ને જો જતન નહી કરીયે તો કોઇ પણ આપણને પતન થી બચાવી શકે નહી તો આવો સંકલ્પ લઇયે કે મારા થકી એવું કોઇ કૃત્ય થશે નહી અને કરવા પણ નહી દઉ અને વધુ મા વધુ વૃક્ષો વાવી આપણી આવનાર પેઢી ને એક ભવ્ય વિશ્વ આપી અને ધન્ય થઇયે…અસ્તુ … વંદે માતરમ…

– નિલેશ જેતપરીયા, પ્રમુખ, સિરામિક એસોશિયેશન

- text