- text
કેન્દ્રીય મંત્રીએ બુથ વિસ્તારક તરીકે મોરબી જિલ્લાનાં વાલી હોવાનું સાબિત કર્યું
મોરબી : મોરબીની નીલકંઠ સોસાયટી, લીલાપર રોડ પર આવેલાં વોર્ડ નં. ૧૩નાં બુથ નં. ૨૦૮માં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ બુથ વિસ્તારક તરીકે હાજરી આપી હતી. જ્યાં તેઓએ દલીત પરિવારનાં વિરજીભાઈ ખોડાભાઈ જાદવનાં ઘરે જઈ ખબરઅંતર પૂછતા ચા-પાણી પીધા હતાં. જો કે મંત્રીશ્રી પુરષોત્તમભાઈ રૂપાલાનો નિયમ છે કે, તેઓ જે પણ સ્થળ-શહેરમાં જાય ત્યાં કોઈપણ દલીત પરિવારના ઘરે જઈ ચા-પાણી સાથે ભોજન પણ લે છે.
આ બુથ વિસ્તારક કાર્યક્રમમાં પુરષોત્તમભાઈ રૂપાલા સાથે શહેર ભાજપ પ્રમુખ લીખાભાઈ જારીયા, રિષીપ કૈલા, શહેર યુવા ભાજપ પ્રમુખ શિવમ વિરમગામા, ઉપપ્રમુખ અજય લોરીયા સહિત ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text