ટંકારાની મુસ્લિમ મહિલાએ તરછોડાયેલા હિન્દૂ બાળકને આઠમાં સંતાન તરીકે ઉછેર્યો..!!

- text


પાંચ વર્ષનો હિંદુ બાળક આજે ૩૫ વર્ષનો ‘અશરફ’ બનીને મુસ્લિમ પરીવાર સાથે જ રહે છે

- text

ટંકારા : આજ થી ૩૦વષઁ પહેલા પોતાના સાત સંતાનોની વચે આઠમા સંતાન તરીકે પરીવારથી તરછોડાયેલા કુમળીવયના પાંચવષઁના હિંદુ બાળકને પનાહ આપી સગી જનેતાનો પે઼મ આપી ઉછેર કરીને ઉમદા માનવધમઁ બજાવ્યો હતો. આજે પાંચવષઁનુ હિંદુ બાળક ૩૫ વષઁનો અશોક માથી ‘અશરફ’ બનીને મુસ્લિમ પરીવાર સાથે જ રહે છે.
મૂળટંકારાના વતની મુસ્લિમસમાજના ફકિર જ્ઞાતીના અકબરભાઈ નુરાભાઈ અને તેમના પત્ની જુબેદાબેન લગ્ન પછી ધંધાથૅ મોરબી સ્થાયી થયા હતા.મોરબીમા ભંગાર,પસ્તીનો નાનકડો ધંધો શરૂ કરીને રોજીરોટી રળતાહતા.મુસ્લિમ દંપતીને સંતાનોમાં પાંચદિકરી અને બે દિકરા હતા .આ દરમિયાન તેમના ભંગારના ડેલા ઉપર ઍક પાંચેક વર્ષનું અશોક નામનું બાળક દરરોજ ભોજન સમયે આવીને રડવા લાગે. મુસ્લિમ દંપતી જમાડે ઍટલે ડેલામા જ સુઈ જાય આ ક્રમ લાંબો ચાલતા આખરે અકબરભાઈની પત્નિ જુબેદાબેનમાં છુપાયેલી ‘મા’ની મમતા જાગી અને ઍ રખડતા ભટકતા બાળકને પોતાની ઘરે જ પનાહ આપી પોતાના સાતસંતાનો સાથે આઠમા સંતાન તરીકે પોતે ઉછેરવાની ઈચ્છા પતી સમક્ષ વ્યકત કરી બાળકને પોતાની ઘરે લાવી હતી.આથિઁક સંકડામણ છતા ઘરે આવેલા આઠમા મહેમાનને આશરો મળતા જ ભારે ગોઠી ગયુ. અહિયા તેને મા અને બાપ બંનેનો પે઼મ અને હુંફ પણ મળતા બાળક મુસ્લિમ પરીવારનુ સદસ્ય બનીને કિલોલ કરતુ ઉછરવા પણ લાગ્યુ. જુબેદાબેનના રૂપમા ‘અશોક’ ને જનેતા મળી ગઈ.સમય જતા પતિ અકબરભાઈનુ મૃત્યુ થતા જુબેદાબેન ત્રણેકવષઁથી ફરી ટંકારા રહેવા આવી ગયા છે.તેમની પાંચ દિકરી સાસરે વળાવી દેવા ઉપરાંત બે દિકરા અબુભાઈ અને અલીભાઈ પણ પરણી ગયા છે.આઠમા સંતાન તરીકે ઉછરેલા મૂળ નામ ‘અશોક’ હાલમા ૩૫વષઁનો અશરફ’ બનીને ફકિર પરીવારમા મુસ્લિમના ઘરે જ રહે છે. આ અંગે મુસ્લિમ પરીવારમા ઉછરીને મોટા થયેલા અશોકભાઈએ જણાવ્યું હતું કે હાલમા હું ખુબ જ ખુશ છુ. હાલમા,પોતાના અસલ પિતા મોરબીમા જ વસે છે પણ ત્યા જવુ જ નથી.તેણે મને બાળપણમા તગેડી મુકયા પછી સગી માતા ની હુંફ આપનારી જુબેદામા જ મારી મા છે.તેની સેવા કરવી હવે મારી ફરજ છે.તેથી લગ્ન પણ નથી કરવા તેમ સ્પષ્ટ જણાવ્યુ હતુ.હાલમા,અશોક માથી અશરફ નામ ધારણ કરીને ટંકારામા ભુંગળાબટેટાની રેકડી ચલાવે છે.

- text