હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા આજે ફ્રી નિદાન કેમ્પ

- text


હળવદ : આજ રોજ હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા હરજીવનભાઈ જેરામભાઈ રાજપરા તથા માતા જોશનાબેન દિલીપભાઈ રાજપરાના સ્મરણાર્થે રાજપરા પરિવાર દ્વારા આજરોજ તારીખ 19 એપ્રિલના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ઈશ્વરનગરની પટેલ સમાજવાડી ખાતે આ ફ્રી નિદાન કેમ્પ યોજાયો છે.આ કેમ્પમાં ડો. શિવમ ભીમાણી, ડો. સુમિતા દેથરીયા, ડો. ચિંતન ગોપાણી અને ડો. અવની ભીમાણી ઉપસ્થિત રહીને વિવિધ રોગનું નિદાન કરી દર્દીઓને માર્ગદર્શન આપશે. કેસ લખાવવા માટે ડો. જયદિપ રાજપરા (મો.નં. 90992 31784)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text