હળવદ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામોત્સવ સમિતિના હોદ્દેદારોની વરણી

- text


17 એપ્રિલે હળવદ ખાતે પ્રભુશ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા હળવદ ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે ત્યારે હળવદ રામોત્સવ સમિતિના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- text

હળવદ રામોત્સવ સમિતિની બેઠક બ્રાહ્મણ ભોજનાલય ખાતે મળી હતી જેમાં સર્વાનુમતે રામોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ ચંદુભાઈ પટેલ (રાણેકપર) તથા ઉપાધ્યક્ષ તરીકે ગોપાલભાઈ બાબુલાલભાઈ ઠક્કરની નિયુક્તિ કરવામાં આવી હતી. આગામી તા. 17 એપ્રિલના રોજ બપોરે 3-30 કલાકે હળવદ લક્ષ્મીનારાયણ મંદિરથી પ્રભુશ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે.

- text