મોરબીમાં દર શનિવારે જોડીયા હનુમાન મંદિરે હનુમાન ચાલીસા – રામધૂનનું આયોજન

- text


મોરબી : મોરબીના જોડીયા હનુમાનદાદાના મંદિરે દર શનિવારે હનુમાન ચાલીસા તથા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના એલઈ ગ્રાઉન્ડ સામે શ્રીમદ્ સોસાયટી ખાતે આવેલા જોડીયા હનુમાન દાદાના સાનિધ્યમાં દર શનિવારે રાત્રે 9 કલાકે ત્રણ પાઠ હનુમાન ચાલીસા અને રામધૂનનું આયોજન કરાઈ છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વે ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, બાળકો સહિતનાને સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text