મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના સમર્થનમાં એક સંસ્થાએ આવેદન આપ્યું

- text


કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની સામે ખોટા ષડયંત્ર રચનારાઓ સામે પગલાં ભરવા માંગ કરાઈ

મોરબી : માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ નામની સંસ્થા એ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યાની જણાવી મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આક્ષેપો કરનારા પોતાના રાજકીય રોટલા શેકનારાઓ હોવાનો આક્ષેપ કરી તેમની કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલે પાઠવેલા આવેદનમાં જણાવ્યા મુજબ મોરબીના મનોજ પનારા દ્વારા પોતાનું પોલીટીકલ કેરીયર ચમકાવવા માટે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવી કાજલ હિન્દુસ્તાનું સમર્થન કરી તે હિન્દુ સમાજ માટે હિન્દૂ રાષ્ટ્ર માટે પોતાના જીવની પરવાહ કર્યા વિના કાર્ય કરતા હોવાનું જણાવી રાણી લક્ષ્મીબાઇની ઉપમા આપી તેઓ હિન્દુ સમાજની દિકરીઓને લવ-જેહાદ અને લેન્ડ જેહાદ અને ધર્માંતરણ જેવા વિષયો ઉપર સમાજને જાગૃત કરતા હોવાનું જણાવી કાજલ હિન્દુસ્તાનીનાં સમર્થનમાં આવેદન આપ્યું હતું.

- text

- text