પાટીદારોને બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પ્રચંડ રોષ, શનિવારે મહારેલી

- text


મોરબી જિલ્લાના તમામ પાટીદાર સમાજ મહારેલી યોજી આવેદનપત્ર પાઠવશે

મોરબી : મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને પાટીદાર સમાજની દીકરીઓને સરાજાહેર બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે અને આગામી તા.30ને શનિવારે સવારે 10 વાગ્યે પાટીદાર સમાજ દ્વારા મહારેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

સુરતની એક સભા પાટીદાર સમાજની દીકરીઓ વાલીઓ માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ કરેલી અભદ્ર અશોભનીય ટિપ્પણીના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લાના તમામ પાટીદાર સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને શનિવારે આવેદનપત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માંગ કરવામાં આવશે.

- text

આ મહારેલીમાં મોરબી જિલ્લામાં વસતા તમામ પાટીદાર સમાજને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.આ રેલી તા.30ના રોજ સવારે 10 વાગ્યે મોરબીમાં સરદાર પટેલની પ્રતિમા ખાતેથી પ્રસ્થાન કરનાર હોય તમામ પાટીદાર સમાજના ભાઈઓ બહેનોએ હાજર રહેવા અનુરોધ કરાયો છે.

- text