મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજને વકીલ મંડળ દ્વારા અપાઇ ભાવભેર વિદાય

- text


મોરબી : મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી.સી.જોશી સાહેબની પોરબંદર મુકામે બદલી થયેલ હોય તેથી મોરબી વકીલ મંડળના તમામ હોદેદારો દ્વારા વકીલ મંડળના રૂમમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ મોરબી વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા, ઉપ્રપમુખ ટી.બી.દોશી, સેક્રેટરી વી.વી. શેરશીયા, જોઈન્ટ સેક્રેટરી યુ. આર.જાડેજા, કારોબારી સભ્યો એસ.આર.પટેલ, કે.ડી.પરમાર, બી.એન. ઝાલા તથા મોરબી બારના સીનીયર એકવોકેટ દ્વારા શ્રીફળ તથા મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી હતી.

- text

આ પ્રસંગે મોરબી જિલ્લાના તમામ જજ સાહેબ, મોરબી બારના તમામ સરકારી વકીલો તથા મોરબી બારના તમામ સિનિયર એડવોકેટ તથા મોરબી બારના તમામ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ બાર એસો.ના પ્રમુખ/સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

- text