- text
મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા મનસુખભાઇ અવચરભાઇ વઢુરકીયા કેન્સરની બીમારીથી પીડાતા હોય જેની સારવાર ચાલુ હતી. જેથી તેઓને જાંબુડીયા ગામેથી ૧૦૮ એમ્બૂલન્સ મારફતે સારવાર અર્થે લઈ જતાં હતા ત્યારે લાલપર ગામ પાસે અચાનક અસહ્ય દુખાવો ઉપડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.
- text
- text