મોરબીમાં શિશુમંદિર ખાતે સંસ્કૃત સંમેલન યોજાશે 

- text


મોરબી: મોરબી-રાજકોટ હાઈવે પર આવેલી સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે આગામી તારીખ 31 માર્ચને રવિવારના રોજ મોરબી જીલ્લાનું ત્રીજું સંસ્કૃત સંમેલન યોજાશે. સંસ્કૃત ભારતી મોરબી જનપદ અને શિશુમંદિર મોરબીના સંયુકત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાના સહયોગથી બપોરે 3:30 કલાકથી સંમેલનની શરૂઆત થશે.

- text

આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃત પ્રાધ્યાપકો-શિક્ષકો, કોલેજ-શાળા સંચાલકો, તેમજ સંસ્કૃત અનુરાગીઓ દ્વારા બપોરે 3:30 થી 05:00 દરમિયાન જનપદ ગોષ્ઠી કરાશે તેમજ સાંજે 5:30 થી 7:30 સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. આ સંસ્કૃત સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બનાવ સંસ્કૃત ભારતી-મોરબી જનપદ વતી જનપદ સંયોજક કિશોર શુકલ, જનપદ સહ સંયોજક હિરેન રાવલ તેમજ પ્રાંતગણ સદસ્ય મયુર શુકલ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text