મોરબીમાં તા.23 મી શહીદ દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

- text


મોરબી : આગામી તા.23 માર્ચના રોજ શહીદ દિન નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબીની સ્ટુડન્ટ ફોર સેવા સંગઠન દ્વારા સંસ્કાર બ્લડ બેંક ખાતેબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત 23 માર્ચ શહીદ દિન નિમિતે સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9:30 વાગ્યા થી 2:00 વાગ્યા સુધી યોજાશે. રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પમાં જોડાય તેવી એબીવીપી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો:- 8238315600 પર સંપર્ક કરી શકાશે.

- text