ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળતા મુખ્યમંત્રીનો આભાર માનતા કુંડારિયા – દેથરીયા

- text


ટંકારા : ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવ્યા બાદ આજે આ રજૂઆતને સફળતા મળતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.

- text

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રૂબરૂ, લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતરિત કરવા મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા ટંકારા અને તેમાં સમાવિષ્ટ વિસ્તારોને જન સુખાકારી સુવિધાઓ તેમજ ટંકારાના ઉદ્યોગોને વિકાસમાં બળ મળશે. આ આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

- text