મોરબીની માધાપરવાડી શાળામાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન અંતર્ગત મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા ખાતે આગામી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદાતાઓ વધુને વધુ મતદાન કરવા જાય અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરે,વધુ ને વધુ મતદાન થાય તે માટે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી જિલ્લાના સ્વીપના નોડલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા,કેનિ શિક્ષણ અશોકભાઈ વડાલિયા,પી.વી.રાઠોડ પૂર્વ શિક્ષણ નિરીક્ષક,રજનીકાંત ચીકાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં બંને શાળાના શિક્ષકોએ શાળાના પટાંગણમાં મારો અધિકાર,આઓ મતદાન કરે,લોકતંત્રનો આધાર વોટ ના જાય બેકાર વગેરે રંગોળીઓ બનાવી હતી.તેમજ આપણા ગુજરાતમાં લોકોનું રાજ છે,આપણાં ગુજરાતમાં મતદારોનું રાજ છે મત આપીને રાજી કરીએ ઓ વાલા..હાલોને મતદાન કરવા જેવા ગીતો ગાયા હતા.તેમજ મતદાતાઓની જાગૃતિ માટેના સૂત્રો જેવા કે મત આપીએ અને અપાવીએ,ચાલો કરીએ મતદાન દેશને બનાવીએ મહાન,યુવાન હોય કે યુવતી મતદાનની તક ન કરો જતી, દેશના વિકાસ માટે મતદાન,મતદારના મતનું રાખો ગુમાન,મતદાન કરવું આપણી ફરજ,ચૂકવીએ લોકશાહીનું કરજ વગેરે સ્લોગન બનાવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા પૂર્વ મદદનીશ શિક્ષણ નિરીક્ષક અને એનસીસી કમાન્ડર પી.વી.રાઠોડ તેમજ અશોકભાઈ વડાલીયા વગેરે મહાનુભાવોએ મતદાનના મહત્વ વિશે વાતો કરી હતી, લોકો મતદાન પ્રત્યે જાગૃત બને એ માટે બંને શાળાના શિક્ષકો તેમજ આચાર્ય તુષારભાઈ બોપલીયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીએ કર્યું હતું.

- text

- text