તા.2જીએ મોરબીમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞ યોજાશે

- text


મોરબી : મોરબી શહેરના કુબેરનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિરના 25માં પાટોત્સવ નિમિત્તે તા. 2 ફેબ્રુઆરીને શુક્રવારે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મારૂતિ યજ્ઞના પ્રસંગે સવારે 9:15 કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે તેમજ બપોરના 1 કલાકે બીડું હોમવામાં આવશે. ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા કષ્ટભંજન હનુમાનજી મંદિર સમિતિના મહેશબાપુ રામાનુજ અને કાના મારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text