જય શ્રી રામ : નવા ઘનશ્યામ ગઢમાં 22મીએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

- text


હળવદ : આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.ત્યારે આ ઉજવણીના ભાગરૂપે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 21 જાન્યુઆરીના રોજ રાત્રે 8:00 વાગ્યાથી ભવ્ય રામધૂન તેમજ 22 જાન્યુઆરીના રોજ સવારે આઠ કલાકે ભવ્ય શોભાયાત્રા અને બપોરે મહારથી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તેમજ 22 જાન્યુઆરીના સાંજે ઘેર ઘેર પાંચ દીવા પ્રગટાવી આ ઉત્સવને વધારવામાં આવશે.

- text

- text