તા.8 ઓક્ટોબરે મોરબીમાં દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરાશે

- text


મોરબી : મોરબીની જનતા માટે કોઈપણ જાતના દુઃખાવાની સારવાર એક્યુપ્રેસરની પદ્ધતિથી નિઃશુલ્ક કરવામાં આવશે. જે માટે આવતીકાલે તારીખ 8 ઓક્ટોબર ને રવિવારના રોજ સાંજે 4-30 થી 6-30 સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સારવાર માટેનો કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં શરીરના કોઈપણ જાતના દુઃખાવા હોય તેની એક્સુપ્રેસરથી સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં ઈશ્વરભાઈ મોટકા (પટેલ) મોર્નિંગ વોકિંગ ગ્રુપવાળા (મો.નં. 9687619729) સેવા આપશે.

- text

- text