મોરબીમાં રાજપુત કરણી સેનાની મીટીંગ યોજાઈ

- text


મોરબી : રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહજી જાડેજા તાલુકા પ્રમુખ, જયદેવસિંહજી જાડેજા. શહેર પ્રમુખ અશોકસિંહજી ચુડાસમાની અઘ્યક્ષતામા મોરબી સર્કિટ હાઉસ ખાતે જીલ્લાની સમસ્ત ટીમની આજ રોજ મિટીંગ યોજાઈ હતી. ત્યારે મોરબી જિલ્લામાં રાજપુત કરણી સેના દ્વારા આગામી જે ભવ્ય સમાજ ઉત્થાન માટે જે ભવ્ય કાર્યક્ર્મ કરવાનો હોઈ તો તેની સંપૂર્ણ ચર્ચા આ મિટિંગમાં કરવામાં આવી હતી. આ તકે સમસ્ત તાલુકા પ્રમુખો અને સમસ્ત કરણી સેના ટીમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા શહેર પ્રમુખ અશોકસિંહજી ચુડાસમા શહેર પ્રભારી વનરાજસિંહ જાડેજા અને તાલુકા પ્રમુખ જયદેવસિંહજી જાડેજાની અધ્યક્ષતામા રાજપુત કરણી સેનાના મોરબી શહેર સંરક્ષક તરીકે ગિરિરાજસિંહજી જાડેજા સજનપર ધુનડાની નિમણુક કરવામાં આવતા ગીરીરાજસિંહજી જાડેજાને ખુબ ખુબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

- text

- text