કંડલા હાઇવે ઉપર માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે

- text


મોરબી : કચ્છ માતાના મઢે દૂર દૂરથી ચાલીને જતા પદયાત્રિકો માટે દર બે કિમીના અંતરે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા કંડલા હાઇવે ઉપર કચ્છના પદયાંત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે.

- text

મોરબીના ગાંધીચોક અને સંગમ રેસિડેન્શિના આશાપૂરા મિત્ર મંડળ દ્વારા આગામી 6 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી આશાપુરા માતાજીએ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ છેલ્લા 15 વર્ષથી ગાડી લઈને પદયાત્રીઓની સેવા કરતા હતા. જે હવે માતાજીની કૃપાથી 2 વર્ષથી મંડપ નાખી સેવા કેમ્પ ચલાવે છે.આ વર્ષે આશાપુરા મિત્ર મંડળનો કેમ્પ કટારીયા હનુમાનજી મંદિરના ગેટ પાસે કંડલા હાઇવે ઉપર રાખેલ છે. તમામ માતાજીના ભક્તોને આ કેમ્પનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

 

- text