1 ઓક્ટોબરે શકત શનાળાના સરસ્વતી શિશુ મંદિર ખાતે વ્યાખ્યાન માળા યોજાશે 

- text


મોરબી : આત્મજ્યોત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. લલીતભાઈ મહેતાના સ્મરણાર્થે મોરબીના શકત શનાળાના સરસ્વતી શિશુમંદિર ખાતે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરના વતની, પૂર્વ સાંસદ અને વિદ્યાભારતી સંચાલિત સરસ્વતી શિશુમંદિર- વાંકાનેર ટ્રસ્ટના પ્રમુખ એવા સ્વ. લલિતભાઈ અમૃતલાલ મહેતાના સ્મરણાર્થે 1 ઓક્ટોબર ને રવિવારના રોજ રાત્રે 9 થી 10:15 કલાક સુધી સરસ્વતી શિશુમંદિર ખાતે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેસીયા વક્તા તરીકે હાજરી આપશે અને શિક્ષણના સેવાવ્રતી સાધક વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરશે. તો આ વ્યાખ્યાન માળામાં ઉપસ્થિત રહેવા જયંતીભાઈ રાજકોટીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text