- text
મોરબી : મોરબીના ખેરની વાડી ખાતે આવેલા તળાવીયા હનુમાનજીના મંદિરે આવતીકાલે તારીખ 2 મે ને ગુરુવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
તળાવીયા હનુમાનજી મંદિર સમસ્ત ખેરની વાડી દ્વારા તારીખ 2 મે ને ગુરુવારથી 8 મે ને બુધવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ રાત્રે 9 થી 12-30 સુધી શાસ્ત્રી અભિષેકભાઈ પંડ્યા વ્યાસપીઠ પર બિરાજી સુર મધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે.
- text
- text