વૃક્ષને ઓળખોઃ મોરબીમાં 4 મેએ વૃક્ષદેવ પરિચય કાર્યશાળા યોજાશે

- text


મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા આગામી તારીખ 4 મે ને શુક્રવારના રોજ વૃક્ષદેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ અને પ્રાચીનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી વૃક્ષદેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. 4 મે ને શનિવારે સાંજે 5-45 કલાકેથી મોરબીના શનાળા-ઘુનડા રોડ પર આર્યગ્રામ ખાતે આ કાર્યશાળા યોજાશે. જેમાં વક્તા તરીકે વૈદ્ય કિરીટસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધિય ઉપયોગીતા વિશે વૈદ્ય કિરીટસિંહ ઝાલા માર્ગદર્શન આપશે. તો આ કાર્યક્રમનો લાભ લેવા કાર્યક્રમ સંયોજક હિરેનભાઈ ધોરીયાણી, ભારત વિકાસ પરિષદના મંત્રી હિંમતભાઈ મારવાણિયા અને પ્રમુખ ડો. જયેશભાઈ પનારાએ અપીલ કરી છે.

- text

- text