મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે

- text


મોરબી : મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તા. 30 જુલાઈને રવિવારે બપોરના 3:30 કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી જીલ્લા રાજપૂત સમાજ આયોજિત સન્માન સમારોહમાં ધો. 5 થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધ ક્ષેત્રમાં ગૌરવ પ્રાપ્ત કરનાર રાજપૂત સમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવશે. આ સન્માન સમારોહમાં રાજ્યસભાના સાંસદ- મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા ઓફ વાંકાનેર, રાજમાતા વિજયકુંવરબા સાહેબ ઓફ મોરબી, યુવરાજ સાહેબ ઓફ ભાવનગર જયવિરરાજસિંહજી ગોહીલ, ગુજરાત રાજ્ય પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા, ગુજરાત રાજ્ય ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહજી જીતુભા રાણા, ગુજરાત રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહજી ભગવતસિંહજી જાડેજા, રાપર (કચ્છ) ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સમાજના દરેક ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા તેમજ મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમને અંતે સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text