મોરબીના દેસાઈ પરિવારે વૃક્ષારોપણ કરીને પુત્રનો જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : મોરબીના દેસાઈ ક્લોથવાળા જયેશભાઈ દેસાઈના પુત્ર ભવ્ય દેસાઈનો 16 જુલાઈના રોજ જન્મદિવસ હોઈ દેસાઈ પરિવારે પર્યાવરણને ઉપયોગી થવાના હેતુ સાથે વૃક્ષારોપણ કરીને પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો.

જયેશભાઈ દેસાઈના પરિવારે પુત્ર ભવ્ય દેસાઈના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ મોરબીના સહકારથી ગઈકાલે 16 જુલાઈના રોજ ધ્રુવનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, આપ પણ પોતાના સ્નેહીજનોના જન્મદિવસ, લગ્ન તારીખ અથવા કોઈપણ પ્રકારની યાદગીરી રૂપે વૃક્ષારોપણ, લાકડાના ચકલીઘર માટે પ્લાયવુડની શીટ તથા જરૂરિયાતમંદ લોકોને રાશનકીટ સહાય આપી શકો છો જેના માટે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ- મોરબીના મો.નં. 9712101533 અથવા 9913701533 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text