કાલે મંગળવારે રવાપર ગામે નિઃશુલ્ક સૂવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે

- text


મોરબી : મોરબીના રવાપર ગામે આવતીકાલે તારીખ 18 જુલાઈ ને મંગળવારના રોજ નિઃશુલ્ક સૂવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. રવાપર ગામે આવેલા ઉમા હોલ ખાતે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક શક્તિવર્ધક, આરોગ્યવર્ધક સૂવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. આ કેમ્પમાં હિરેનભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ કોઠિયા અને ડો. મુકેશભાઈ ભોરણિયા સેવા આપશે. તો વધુ ને વધુ બાળકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરાઈ છે.

- text

- text